પોલીસ અધિક્ષક, કચ્છ
http://www.spkutch.gujarat.gov.in

પાસપોર્ટ રીસિવિંગ સેંટર

6/18/2025 2:06:16 AM

અત્રેની કચેરીમાં પાસપોર્ટ અંગેની કામગીરી કરવા માટે એક અલગ વિભાગ શરૂ કરવામાં આવેલ છે. જે વિભાગમાં બહારથી આવતા એન.આર.આઈ. શ્રીઓના વિઝા વધારવા, નોટીફાઈડ એરિયામાં જવા માટેની પરમિટો તેમ જ છ માસથી વધુ રોકાણ કરનાર વિદેશી નાગરિકોના રજિસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવે છે. તેઓને આ કચેરીમાં કોઈપણ મુશ્કેલીઓ ન પડે તે માટે બેઠક વ્યવસ્થા તથા માહિતી કેન્દ્ર પણ શરૂ કરવામાં આવેલ છે.

નવા પાસપોર્ટ અંગેની અરજીઓ નાગરિકો તરફથી કરવામાં આવે છે. જે અરજીઓ સ્વીકારી તે અરજીઓ સાથે જરૂરી માહિતીના રેકર્ડનું ખાતરી કરવામાં આવે છે. અને જો પાસપોર્ટ અરજીમાં કોઈ રેકર્ડ ખૂટતું જણાય તો તેની પૂર્તતા અંગે અરજદારને સમજ કરવામાં આવે છે. અને રોજે રોજ આવતી પાસપોર્ટ અરજીઓની જાણ ક્ષેત્રિય પાસપોર્ટ કચેરી અમદાવાદ ખાતે કરવામાં આવે છે.

પાસપોર્ટ મેળવવા માટે આવેલ નવી અરજીઓનું પોલીસ વેરિફિકેશન દિન-૧પ માં કરવાનું હોય છે. જે સમય મર્યાદામાં કરી ક્ષેત્રિય પાસપોર્ટ કચેરીને અમદાવાદ ખાતે ત્વરીત જાણ કરવામાં આવે છે. જેથી પાસપોર્ટ ઈચ્છુક નાગરિકોને તાત્કાલીક પાસપોર્ટ અંગેની નિયમ મુજબની સુવિધાઓ મળી શકે છે.