નાગરિક અધિકાર પત્ર શા માટે ?
જડ અને સંવેદનશીલ તંત્રની કાર્યદક્ષતા અને શુદ્ધતા માટે નાગરિક સભાન બનવો જોઈએ. જાગૃત લોકો જ પારદર્શક અને શુદ્ધ વહીવટના સંત્રી છે. તંત્ર જવાબદાર અને પારદર્શક ત્યારે બને જયારે લોકોને તંત્રની કાર્યવિધિની જાણકારી હોય. ન્યાયપૂર્ણ વ્યવહાર અને નિષ્ઠા દ્વારા તંત્ર નાગરિકોમાં વિશ્વાસ પ્રગટાવી શકે છે. લોક જાગૃતિ દ્વારા, લોક ભાગીદારી મેળવીને ગુનાઓને નિવારી શકાય છે.
પોલીસ શું શું સેવાઓ આપે છે.
કાયદો અને વ્યવસ્થા તેમ જ જાહેર વ્યવસ્થાની જાળવણી કરે છે, ગુનાઓ અટકાવવાની તથા શૉધવાની ગુનાઓ નોધવાની, તપાસવાની, આરોપીને અટક કરવાની અને તેમની સામે કાયદાકીય કામ ચલાવવાની કાર્યવાહી કરે છે. વ્યવસ્થિત લોકોને તુરંત રક્ષણ આપે છે. પુર, વાવાઝોડું, આગ, ઘરતીકંપ, રોગચારો જેવી કુદરતી ધટનાઓ તથા બીજી આફતો વેળાએ પબ્લિકને મદદ કરવાની.
લોકો પોલીસનો સંપર્ક કઈ રીતે કરી શકે.
ટેલિફોનથી તરત મદદ માટે કે અન્ય માહિતી આપવા માટે લોકો પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી કંટ્રોલમાં નોંધ કરાવી શકે છે. પત્રથી પણ સ્થાનિક પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.તથા પો.સ.ઈ.ને જાણ કરે છે. રૂબરૂમાં સતત ૨૪ કલાક કે ૩૬૫ દિવસ સુધી મળી શકે છે. ઈ-મેઈલ કે વેબ સાઈટ દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં સતત ૨૪ કલાક સેવા આપે છે.
|